Skip to main content

પંચાયતી રાજ - લોર્ડ રીપન(1880-1884)

પંચાયતી રાજ - ભાગ 2

1. લોર્ડ રીપને પ્રાથમિક શિક્ષણનાં સુધારા માટે "હન્ટર કમિશન" નીમ્યુ.

2. અંગ્રેજો વિરૂદ્ધ માત્ર અંગ્રેજી વર્તમાન પત્રમાં જ લખી શકાશે આવો "લિટન" દ્વારા લાવવામાં આવેલ અન્યાયી કાયદો " વર્નાકયૂલર પ્રેસ એક્ટ" રદ કર્યો.

3.યુરોપિયનનો ન્યાય ભારતમાં માત્ર યુરોપિયન જ કરી સકે તેવી જોગવા દુર કરવા માટે "ઇલ્બટૅ બિલ" લાવવામાં આવ્યુ.

4. ઇ.સ. 1882 માં ભારતના ગામડાનો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સ્થાપના માટે તેણે ઠરાવ કર્યો જેના આધારે ઇ.સ.1884 માં મુંબઇ પ્રાંતમાં "બોમ્બે લોકલ બોર્ડ એક્ટ" પસાર કરવામાં આવ્યો જેનાં કારણે ભારતના ગામડાઓમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સ્થાપના થઈ.

5. ઇ.સ. 1881 મા રીપન દ્રારા સૌપ્રથમ વસ્તી ગણતરી કરવામાં આવી. રીપન નાં આ પગલાઓનાં કારણે તને " સ્થાનિક સવરજયનો પિતા" કહેવામાં આવે છે.

6. ઇ.સ.1889 માં "બોમ્બે સેનીટેશન એક્ટ" લાવવામાં આવ્યો જેનાં આધારે ભારતના ગામડાઓની અંદર સેનેટરી સમિતિઓ બનાવમાં આવી અને સેનીટેશન સુવિધાઓ ઊભી થઈ.

7. ઇ.સ.1907 મા ઇંગ્લેન્ડ નાં રાજા જ્યોર્જ આઠમાં એ સત્તાનું વિકેન્દ્રીકરણ કરવા "રોયલ કમિશન" ની નિમણૂક કરી.

8. ઇ.સ. 1919 નાં "મોન્ટેગ્યું ચેમ્સફર્ડ સુધારા" અંતર્ગત પંચાયતી રાજ મા ક્યાં ક્યાં કરવેરા ઉઘરાવી સકાય તેની યાદી તૈયાર કરવામાં આવી.

9. ઇ.સ.1935 મા આવેલ "ભારત સરકાર અધિનિયમ" અંતર્ગત ભારતીય પ્રજાને "મીની આઝાદી" તરીકે ઓળખાતી"પ્રાંતીય સ્વાયત્તતા" આપવામા આવી.

પંચાયત રાજ ભાગ 3 મેળવવા માટે ફોલો કરો.
Pandavdrarahul.blogspot.com

Comments

Popular posts from this blog

પંચાયતી રાજ અંગેની સમિતિઓ

પંચાયતી રાજ ભાગ 3 પંચાયતી રાજ અંગેની સમિતિઓ 1. બળવંતરાય મહેતા સમિતિ(ઇ.સ.1957)  હેતુ:       ભારતમાં પંચાયતી રાજની સ્થાપના માટે ગુજરાતના બીજા નંબરના મુખ્યમંત્રી અને હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન પામનાર બળવંતરાય મહેતાના અધ્યક્ષપણા હેઠળ ઇ.સ.1957માં બળવંતરાય મહેતા સમિતિ બનાવવામાં આવી. આ સમિતિ એ પોતાનો અહેવાલ 24-11-1957 ના રોજ કેન્દ્ર સરકારને સુપ્રત કર્યો જેનાં આધારે 2 ઓક્ટોબર 1959ના રોજ પંડિત જવાહરલાલ નહેરુના હસ્તે રાજસ્થાનનાં નાગૌર જિલ્લાના બગદરી ગામમાં પંચાયતી રાજની શરૂઆત થઈ પરંતુ પંચાયતી રાજનો સમગ્ર રાજ્યમાં અમલ કરનારું પ્રથમ રાજય " આંધ્રપ્રદેશ" હતુ. ભલામણ: પંચાયતી રાજનું ત્રિ-સ્તરીય માળખું હોવું જોઇયે. પંચાયતોને કરવેરા નાખવાની અને ઉઘરાવવાની સતા હોવી જોઇયે. ગ્રામ પંચાયતોને વહીવટ કરવા માટે 100% ખર્ચ આપવો. ગ્રામ પંચાયતનું વિઘટન કરતાં પહેલા જીલ્લા પંચાયતોનો અભિપ્રાય લેવો. 2. અશોક મહેતા સમિતિ(ઇ.સ. 1977)     હેતુ:              પંચાયતી રાજને મજબૂતાઈ આપવા માટે જનતા સરકાર(મોરારજી દેસા...

કચ્છ જિલ્લો

સરકારી નૌકરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ગુજરાતના જિલ્લાઓ મહત્વના હોય છે. ગુજરાતના જિલ્લાઓ વિષે જાણવા માટે લાઈક અને શેર કરો.                           કચ્છ જિલ્લો  1. ભુજ જિલ્લાના મુખ્ય મથક ભુજમાં ભૂજીયો કિલ્લો આવેલ છે. આ શહેર ભૂજીયા ડુંગરની તળેટીમાં વસેલું છે. હમીરસર તળાવ, પ્રાગમહેલ, શરદબાગ પેલેસ વગેરે જોવાલાયક છે. 2. ધોળાવીરા ઇ.સ.1960 માં ધોળાવીરામાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળી આવ્યાં છે. ત્યારબાદ 1991માં ડો. બિસ્ટના માર્ગદર્શન હેઠળ સંશોધન શરૂ થતા જાણવા મળ્યું કે ધોળાવીરા સિંધુ સંસ્કૃતિનું કેન્દ્ર હતું. અહીં હોકાયંત્ર, તોલમાપનાં સાધનો, મનોરંજન પદ્ધતિઓ, સિક્કાઓ વગેરે અવશેષો મળી આવ્યાં છે.  ધોળાવીરા ભચાઉ તાલુકાના ખદિર બેટ મા આવેલ છે. 3. ભદ્રેશ્વર જૈનોનું પવિત્ર તીર્થધામ છે. જે પ્રાચિન સમયમાં " ભદ્રાવતી " તરીકે ઓળખાતું. શેઠ જગડૂશાએ જીર્ણોદ્વાર કરાવેલા પ્રસિધ્ધ જૈન દેરાસર પણ અહી આવેલા છે. 4. અંજાર ...