સરકારી નૌકરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ગુજરાતના જિલ્લાઓ મહત્વના હોય છે. ગુજરાતના જિલ્લાઓ વિષે જાણવા માટે લાઈક અને શેર કરો.
કચ્છ જિલ્લો
1. ભુજ
- જિલ્લાના મુખ્ય મથક ભુજમાં ભૂજીયો કિલ્લો આવેલ છે. આ શહેર ભૂજીયા ડુંગરની તળેટીમાં વસેલું છે.
- હમીરસર તળાવ, પ્રાગમહેલ, શરદબાગ પેલેસ વગેરે જોવાલાયક છે.
2. ધોળાવીરા
- ઇ.સ.1960 માં ધોળાવીરામાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળી આવ્યાં છે.
- ત્યારબાદ 1991માં ડો. બિસ્ટના માર્ગદર્શન હેઠળ સંશોધન શરૂ થતા જાણવા મળ્યું કે ધોળાવીરા સિંધુ સંસ્કૃતિનું કેન્દ્ર હતું.
- અહીં હોકાયંત્ર, તોલમાપનાં સાધનો, મનોરંજન પદ્ધતિઓ, સિક્કાઓ વગેરે અવશેષો મળી આવ્યાં છે.
- ધોળાવીરા ભચાઉ તાલુકાના ખદિર બેટ મા આવેલ છે.
3. ભદ્રેશ્વર
- જૈનોનું પવિત્ર તીર્થધામ છે. જે પ્રાચિન સમયમાં " ભદ્રાવતી " તરીકે ઓળખાતું.
- શેઠ જગડૂશાએ જીર્ણોદ્વાર કરાવેલા પ્રસિધ્ધ જૈન દેરાસર પણ અહી આવેલા છે.
4. અંજાર
- જેસલ તોરલની સમાધિ આવેલી છે.
- છરી ચપ્પા અને સુડીનાં ઉદ્યોગ માટે પ્રખ્યાત છે.
- ભારતના પાંચ પવિત્ર સરોવરોમાનું એક નારાયણ સરોવર અહિયાં આવેલ છે. જયાં કોટેશ્વર મહાદેવનું શિવાલય આવેલ છે.
- કચ્છના રાજવીઓ નાં કુળદેવી આશાપુરા માતાનો મઢ આવેલ છે.
- કોટાય- કાઠી દરબારો એ બંધાવેલ સૂર્યમંદિર આવેલ છે.
5. કંડલા
- ગુજરાતનું સૌથી મોટુ એકમાત્ર મુકત વ્યાપાર કેન્દ્ર ધરાવતું બંદર અહી આવેલ છે. જેને ઇ.સ. 1955 થી આંતરરાષ્ટ્રીય મહાબંદર તરીકે જાહેર કરવામાં આવ્યુ.
6. મુન્દ્રા
- મુન્દ્રા ને કચ્છનો "હરિયાળો પ્રદેશ" અને " કચ્છનું પેરિસ" કેહવાય છે.
- અહિ ખારેક સંશોધન કેન્દ્ર આવેલ છે.
7. માંડવી
- માંડવી કન્કાવતિ નદીના કિનારે વસેલું શહેર છે. જયાં એશિયાનું સૌપ્રથમ વિન્ડફાર્મ આવેલ છે.
- આ ઉપરાંત અહિ ભારતનો એકમાત્ર ખાનગી બગીચો આવેલ છે.
- ટી. બી.નાં રોગીઓ માટે ટી. બી. સેનોટોરીયમ અને વિજયવિલાસ પેલેસ આવેલ છે.
8. સુથરી
- ઇ.સ.1965 મા ભારત પાકિસ્તાનનું યુદ્ધ સમયે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી બળવંતરાય મહેતાનું વિમાન તુટી પડતાં અવસાન થયેલ.
- હજીપીરનો મેળો - ચૈત્ર માસના પ્રથમ સોમવારે
- ક્રાંતિતીર્થ, શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સીટી-ભુજ, સ્થાપના - 2004
- કચ્છ મ્યુઝીયમ,ભુજ - ગુજરાતનું સૌથી પ્રાચિન મ્યુઝીયમ
- સુરખાબ અભ્યારણ રાપર ખાતે આવેલ છે.
- ખારેક માટે નું સંશોધન કેન્દ્ર " ડેટપામ રિસર્ચ સેન્ટર" મુન્દ્રા ખાતે આવેલ છે.
- " માધાપર ડેરી" માધાપર ખાતે આવેલ છે.
- કચ્છમાં ગુજરાત સરકાર દ્રારા દર વર્ષે ડિસેમ્બર મહિનામાં ધોરડો ખાતે " રણોત્સવ" ઉજવવામાં આવે છે.
- ગુજરાતમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત સિરીક્રીક(કચ્છ) મા થાય છે.
આવતી પોસ્ટમાં ગુજરાતનો જિલ્લો દેવભૂમિ દ્વારકા વિશે જાણીશું.
Pandavdrarahul.blogspot.com
(RAHUL PANDAVADARA)
ખૂબ જ અગત્યની janakri sir.....
ReplyDelete