પંચાયતી રાજ
1.ભારતમાં પંચાયતી રાજના મૂળ ખૂબ જ ઊંડા છે. ભગવાન મનુ દ્રારા લખાયેલ "મનુસ્મૃતિ" માં પંચાયતી રાજ નો ઉલ્લેખ છે.
2. મહાભારતના 18 પર્વોમાના એક પર્વ એવા "સભાપર્વ" નાં 83 માં શ્લોકમાં મજબૂત ગ્રામીણ વ્યવસ્થા નો ઉલ્લેખ છે.
3. ચાણક્યનાં પુસ્તક "અર્થશાસ્ત્ર" કે જે રાજનીતિ વિષય પર આધારિત છે. તેમાં પણ ગામ ને ગ્રામ, ગ્રામના વડાને ગ્રામીણ(સરપંચ), ગામડાઓના સમૂહને જનપદ(તાલુકો) અને જનપદના સમુહને ગણરાજય તરીકે ઉલ્લેખવામાં આવ્યાં છે.
4. ગ્રીક મુસાફિર મેગસ્થનીઝ એ પોતાના પુસ્તક "ઈંડિકા" માં ભારતની પંચાયતી રાજની વ્યવસ્થાને "પેન્ટાકૅ" ના નામે ઓળખાવી છે.
5. ચીની મુસાફિર યું.એન.સાંગે પોતાના પુસ્તક "સીયુકી" અને ફાહીયાને પોતાના પુસ્તક "ફો ફો ક્યુ" માં પંચાયતી રાજની વ્યવસ્થાનો ઉલ્લેખ કરેલ છે.
6. શિવાજીની "અષ્ટપ્રધાન મંડળ" વ્યવસ્થામાં પણ પંચાયતી રાજનું વ્યવસ્થાપન હતું.
7. મોગલ સમયમાં બાબરથી લઇ શાહજહાં સુધી પંચાયતી રાજને ફોજદારી અને દીવાની રીતે સ્વાયત્તતા આપવામાં આવી હતી પરંતુ ઔરંગઝેબના સમયથી ગામડાઓની અંદર પંચાયતી રાજ વ્યવસ્થા નબળી પડી.
બ્રિટિશ યુગ દરમિયાન પંચાયતી રાજ :
- ઇ.સ.1688 માં અંગ્રેજોએ ઇંગ્લેન્ડની સતા ઉપર મદ્રાસ ખાતે સૌપ્રથમ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપન કરવામાં આવી અને સીધા કરવેરા નાખવામાં આવ્યાં, પરંતુ સ્થાનિક વિરોધ થવાના કારણે તે વ્યવસ્થા મુલતવી રાખવામાં આવી.
- ત્યારબાદ ઇ.સ.1726 માં મુંબઈ, મદ્રાસ અને કોલકાતામાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના કરવામાં આવી જે અને પણ યથાવત છે.
સરકારી નોકરી ની તૈયારી કરતાં વિધાર્થીઓ માટે રોજ ઉપયોગી માહીતી મેળવવા માટે ફોલો કરો.
આઝાદી પછી પંચાયતી રાજની માહીતી મેળવવા મારી બીજી બ્લોગ જરૂર વાંચજો.
Comments
Post a Comment