Skip to main content

પાણીનું શુદ્ધિકરણ અને બચત

પાણીનું શુદ્ધિકરણ અને પાણીની બચતનો શ્રેષ્ટ સમન્વય

પાણી, કુદરતે માનવજાતને આપેલ અમુલ્ય ભેટ છે. શુભિષિતકારોએ જગતમા ત્રણ રત્નો  કહ્યા છે પ્રથમ પાણી, બીજુ અન્ન અને ત્રીજું શુભાષિત છે. પાણી વગર માનવિનુ જીવન,પ્રાણી જીવન કે વનસ્પતિ જીવન શક્ય નથી. આજનાં યુગમાં વિશ્વના વૈજ્ઞાનિકોને સૌથી મોટો પ્રશ્નો પાણીની અછતનો છે અને વૈજ્ઞાનિકો આ માટે સમગ્ર વિશ્વ ને વારંવાર ચેતવે છે.

   તે સાથે જ બીજો પ્રશ્ન છે પીવાના પાણીની ક્વોલિટીનો. આજે બધીજ જગ્યાએ નદી, સરોવર કે તળાવનું પાણી પીવા માટે પહોંચાડી શકાતું નથી. તેથી લોકોએ બોરવેલનાં પાણી નો આશરો લેવો પડે છે. બોરવેલના પાણીનાં તળ ખૂબ જ ઊંડા છે, જેનાથી તેમાં હવે મેટલ્સ જેવી અનેક અશુદ્ધિઓ પાણીમા ભળે છે.બીજીબાજુ પાણી નાં ઔદ્યોગિક નિકાલને કારણે પાણી વધું કેમિકલયુક્ત અને દૂષિત થયું છે. પાણીમા જૈવિક અશુદ્ધિઓ ભળે છે.

તો હવે પ્રશ્ન થાય કે એકબાજુ પાણી ની અછત છે અને બીજી બાજુ શુદ્ધ પાણી પણ શરીર માટે અત્યંત આવશ્યક છે.

70% રોગો પાણીજન્ય છે. કોલેરા, ઝાડા, ઉલટી, મલેરિયા, ટાઇફોઈડ, હીપેટાઇટીસ A,.  લીડ પોઇઝનીંગ અને ફ્લોરોસીસ જેવા અનેક રોગો અશુદ્ધ અને દૂષિત પાણી થી થાય છે. જેનાં એક માત્ર વિકલ્પ છે, RO Technology.

RO Technology નાં રિજેક્ટમા નીકળતું અશુદ્ધ પાણીને અન્ય જગ્યાને વાપરીને તેનો ફરી ઉપયોગ કરી શકાય છે.

RO Technologyના વેસ્ટમા નીકળતું અશુદ્ધ પાણીને આપણે ટોયલેટ ક્લીનીંગ તેમજબગીચા  માં કરી શકીયે અને તેં કરવો જ જોઇયે તેનો આગ્રહ રાખવો જોઇયે.

જે પાણીમા ઓછા ક્ષાર(TDS) હોય ત્યાં UV કે  UF technology વાપરી શકાય જેનાથી પાણી શુદ્ધ પણ થાય અને પાણી નો બગાડ ન થાય.

આધુનિક વોટર technology ના ફ્ળ સ્વરુપ water recycle કરવું અત્યંત સહેલું થયું છે, તેં દ્રારા આપણે લાખો ગેલન પાણી બચાવી શકાય.

વરસાદ એ કુદરતની અમુલ્ય ભેટ છે. ઇઝરાયલ જેવા દેશમાં વાર્ષિક સરેરાશ વરસાદ 6 ઇંચ પડે છે તો પણ તે લોકોએ હરિયાળી ક્રાંતિ કરી છે. તો આપણે પણ સજાગ થવું પડશે. વરસાદી પાણી ને ટાંકામા સંગ્રહ કરીને આખું વર્ષ પીવાના પાણી તરીકે વાપરી શકાય અને વરસાદી પાણી ને જમીનમાં ઉતારી શકાય અને આ રીતે ભગવાનના પ્રસાદ રૂપ પાણી નો સંગ્રહ કરી શકીયે.


દરરોજના રોજિંદી ટેવોમા ફેરફાર કરીને પણ પાણીની બચત કરી શકાય.
1. બ્રશ કે શેવ કરતી વખતે પાણીનો નળ ચાલુ ન રહે.
2. નળમાંથી પાણી નું લીકેજ અટકાવવું.
3. લો ફ્લશ કે ડ્યુઅલ ફ્લશ ટોયલેટ લગાવવું.
4. વોશિંગ મશીન ફુલ લોડ કપડા થાય ત્યારે વાપરવું.
5. ગાર્ડનીન્ગ માટે સ્માર્ટ વોટરિંગ ટેકનીકનો ઉપયોગ કરવો.
6. દરેક ઘરમાં વોટર મીટર લગાવવું.

Comments

Popular posts from this blog

પંચાયતી રાજ અંગેની સમિતિઓ

પંચાયતી રાજ ભાગ 3 પંચાયતી રાજ અંગેની સમિતિઓ 1. બળવંતરાય મહેતા સમિતિ(ઇ.સ.1957)  હેતુ:       ભારતમાં પંચાયતી રાજની સ્થાપના માટે ગુજરાતના બીજા નંબરના મુખ્યમંત્રી અને હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન પામનાર બળવંતરાય મહેતાના અધ્યક્ષપણા હેઠળ ઇ.સ.1957માં બળવંતરાય મહેતા સમિતિ બનાવવામાં આવી. આ સમિતિ એ પોતાનો અહેવાલ 24-11-1957 ના રોજ કેન્દ્ર સરકારને સુપ્રત કર્યો જેનાં આધારે 2 ઓક્ટોબર 1959ના રોજ પંડિત જવાહરલાલ નહેરુના હસ્તે રાજસ્થાનનાં નાગૌર જિલ્લાના બગદરી ગામમાં પંચાયતી રાજની શરૂઆત થઈ પરંતુ પંચાયતી રાજનો સમગ્ર રાજ્યમાં અમલ કરનારું પ્રથમ રાજય " આંધ્રપ્રદેશ" હતુ. ભલામણ: પંચાયતી રાજનું ત્રિ-સ્તરીય માળખું હોવું જોઇયે. પંચાયતોને કરવેરા નાખવાની અને ઉઘરાવવાની સતા હોવી જોઇયે. ગ્રામ પંચાયતોને વહીવટ કરવા માટે 100% ખર્ચ આપવો. ગ્રામ પંચાયતનું વિઘટન કરતાં પહેલા જીલ્લા પંચાયતોનો અભિપ્રાય લેવો. 2. અશોક મહેતા સમિતિ(ઇ.સ. 1977)     હેતુ:              પંચાયતી રાજને મજબૂતાઈ આપવા માટે જનતા સરકાર(મોરારજી દેસાઈ) દ્રારા આ સમિતિ 12-12-1977 ના રોજ બનાવવામાં આવી અને આ સમિ

કચ્છ જિલ્લો

સરકારી નૌકરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ગુજરાતના જિલ્લાઓ મહત્વના હોય છે. ગુજરાતના જિલ્લાઓ વિષે જાણવા માટે લાઈક અને શેર કરો.                           કચ્છ જિલ્લો  1. ભુજ જિલ્લાના મુખ્ય મથક ભુજમાં ભૂજીયો કિલ્લો આવેલ છે. આ શહેર ભૂજીયા ડુંગરની તળેટીમાં વસેલું છે. હમીરસર તળાવ, પ્રાગમહેલ, શરદબાગ પેલેસ વગેરે જોવાલાયક છે. 2. ધોળાવીરા ઇ.સ.1960 માં ધોળાવીરામાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળી આવ્યાં છે. ત્યારબાદ 1991માં ડો. બિસ્ટના માર્ગદર્શન હેઠળ સંશોધન શરૂ થતા જાણવા મળ્યું કે ધોળાવીરા સિંધુ સંસ્કૃતિનું કેન્દ્ર હતું. અહીં હોકાયંત્ર, તોલમાપનાં સાધનો, મનોરંજન પદ્ધતિઓ, સિક્કાઓ વગેરે અવશેષો મળી આવ્યાં છે.  ધોળાવીરા ભચાઉ તાલુકાના ખદિર બેટ મા આવેલ છે. 3. ભદ્રેશ્વર જૈનોનું પવિત્ર તીર્થધામ છે. જે પ્રાચિન સમયમાં " ભદ્રાવતી " તરીકે ઓળખાતું. શેઠ જગડૂશાએ જીર્ણોદ્વાર કરાવેલા પ્રસિધ્ધ જૈન દેરાસર પણ અહી આવેલા છે. 4. અંજાર જેસલ તોરલની સમાધિ આવેલી છે. છરી ચપ્પા અને સુડીનાં ઉદ્યોગ માટે પ્રખ્યાત છે.   ભારતના પાંચ પવિત્ર સરોવરોમાનું એક નારાયણ સ