Skip to main content

દેવભૂમિ દ્વારકા

              છેલ્લી પોસ્ટમા આપણે કચ્છ જિલ્લા વિશે જોઇ ગયા. આજે દેવભૂમિ દ્વારકા જિલ્લા વિશે જોઈશું.

તાલુકાઓ

1. ખંભાળીયા    2.ઓખમંડળ    3.ભાણવડ    4.કલ્યાણપુર


1.દ્વારકા
  • ગોમતી નદીનાં કિનારે વસેલું તીર્થસ્થાન જે ભારતના ચાર પવિત્ર તીર્થસ્થાનોમાનું એક સ્થળ છે.
  • ભારતની ચાર મહાન પીઠોમાંની એક " શારદાપીઠ" આદિ શંકરાચાર્ય દ્રારા સ્થાપિત છે. આ ઉપરાંત અહિ રૂકમણિજી નું મંદીર પણ આવેલ છે.
2.મિઠાપુર

  • ટાટા કેમિકલ્સનુ સોડાએશ અને કોસ્ટીક સોડા બનાવવાનું કારખાનું આવેલ છે.
3. શંખૌદ્વાર બેટ
  • દ્વારકા પાસે આવેલો બેટ જેનું નામ શંખોદ્વાર બેટ છે તે " બેટ દ્વારકા" તરીકે પણ ઓળખાય છે
  • શંખોદ્વાર બેટમાં આવેલ વનવિસ્તાર " દારૂકાવન" ખાતે બાર જ્યોતિર્લિંગમાનું એક નાગેશ્વર જ્યોતિર્લિંગ આવેલ છે.
4. ઘૂમલિ
  • અગિયારમી કે બારમી સદીમાં બંધાયેલું " નવલખા" મંદીર આવેલ છે.
5. અભયારણ્ય
  • મરીન નેશનલ પાર્ક- ઓખા,
  • મહાગંગા પક્ષી અભયારણ્ય, કલ્યાણપુર
યાદ રાખો
  • હિન્દૂ ધર્મના ચાર મોટા યાત્રાધામોમાનું એક ધામ
  • ખંભાળીયાનું " ઘી" વખણાય છે.
  • ઘૂમલિમા નવલખા મંદીર આવેલ છે.
  • શંકરાચાર્યે સ્થાપેલી શારદાપીઠ આવેલ છે.





આવતી પોસ્ટમા પોરબંદર અને જામનગર જીલ્લા વિશે જાણીશું.
ગુજરાતના બધા જીલ્લા વિશે જાણવા માટે ફોલો કરો.
Pandavdrarahul.blogspot.com






Comments

Popular posts from this blog

પંચાયતી રાજ અંગેની સમિતિઓ

પંચાયતી રાજ ભાગ 3 પંચાયતી રાજ અંગેની સમિતિઓ 1. બળવંતરાય મહેતા સમિતિ(ઇ.સ.1957)  હેતુ:       ભારતમાં પંચાયતી રાજની સ્થાપના માટે ગુજરાતના બીજા નંબરના મુખ્યમંત્રી અને હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન પામનાર બળવંતરાય મહેતાના અધ્યક્ષપણા હેઠળ ઇ.સ.1957માં બળવંતરાય મહેતા સમિતિ બનાવવામાં આવી. આ સમિતિ એ પોતાનો અહેવાલ 24-11-1957 ના રોજ કેન્દ્ર સરકારને સુપ્રત કર્યો જેનાં આધારે 2 ઓક્ટોબર 1959ના રોજ પંડિત જવાહરલાલ નહેરુના હસ્તે રાજસ્થાનનાં નાગૌર જિલ્લાના બગદરી ગામમાં પંચાયતી રાજની શરૂઆત થઈ પરંતુ પંચાયતી રાજનો સમગ્ર રાજ્યમાં અમલ કરનારું પ્રથમ રાજય " આંધ્રપ્રદેશ" હતુ. ભલામણ: પંચાયતી રાજનું ત્રિ-સ્તરીય માળખું હોવું જોઇયે. પંચાયતોને કરવેરા નાખવાની અને ઉઘરાવવાની સતા હોવી જોઇયે. ગ્રામ પંચાયતોને વહીવટ કરવા માટે 100% ખર્ચ આપવો. ગ્રામ પંચાયતનું વિઘટન કરતાં પહેલા જીલ્લા પંચાયતોનો અભિપ્રાય લેવો. 2. અશોક મહેતા સમિતિ(ઇ.સ. 1977)     હેતુ:              પંચાયતી રાજને મજબૂતાઈ આપવા માટે જનતા સરકાર(મોરારજી દેસા...

પંચાયતી રાજ - લોર્ડ રીપન(1880-1884)

પંચાયતી રાજ - ભાગ 2 1. લોર્ડ રીપને પ્રાથમિક શિક્ષણનાં સુધારા માટે "હન્ટર કમિશન" નીમ્યુ. 2. અંગ્રેજો વિરૂદ્ધ માત્ર અંગ્રેજી વર્તમાન પત્રમાં જ લખી શકાશે આવો "લિટન" દ્વારા લાવવામાં આવેલ અન્યાયી કાયદો " વર્નાકયૂલર પ્રેસ એક્ટ" રદ કર્યો. 3.યુરોપિયનનો ન્યાય ભારતમાં માત્ર યુરોપિયન જ કરી સકે તેવી જોગવા ઇ દુર કરવા માટે "ઇલ્બટૅ બિલ" લાવવામાં આવ્યુ. 4. ઇ.સ. 1882 માં ભારતના ગામડાનો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સ્થાપના માટે તેણે ઠરાવ કર્યો જેના આધારે ઇ.સ.1884 માં મુંબઇ પ્રાંતમાં "બોમ્બે લોકલ બોર્ડ એક્ટ" પસાર કરવામાં આવ્યો જેનાં કારણે ભારતના ગામડાઓમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સ્થાપના થઈ. 5. ઇ.સ. 1881 મા રીપન દ્રારા સૌપ્રથમ વસ્તી ગણતરી કરવામાં આવી. રીપન નાં આ પગલાઓનાં કારણે તને " સ્થાનિક સવરજયનો પિતા" કહેવામાં આવે છે. 6. ઇ.સ.1889 માં " બોમ્બે સેનીટેશન એક્ટ" લાવવામાં આવ્યો જેનાં આધારે ભારતના ગામડાઓની અંદર સેનેટરી સમિતિઓ બનાવમાં આવી અને સેનીટેશન સુવિધાઓ ઊભી થઈ. 7. ઇ.સ.1907 મા ઇંગ્...

કચ્છ જિલ્લો

સરકારી નૌકરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ગુજરાતના જિલ્લાઓ મહત્વના હોય છે. ગુજરાતના જિલ્લાઓ વિષે જાણવા માટે લાઈક અને શેર કરો.                           કચ્છ જિલ્લો  1. ભુજ જિલ્લાના મુખ્ય મથક ભુજમાં ભૂજીયો કિલ્લો આવેલ છે. આ શહેર ભૂજીયા ડુંગરની તળેટીમાં વસેલું છે. હમીરસર તળાવ, પ્રાગમહેલ, શરદબાગ પેલેસ વગેરે જોવાલાયક છે. 2. ધોળાવીરા ઇ.સ.1960 માં ધોળાવીરામાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળી આવ્યાં છે. ત્યારબાદ 1991માં ડો. બિસ્ટના માર્ગદર્શન હેઠળ સંશોધન શરૂ થતા જાણવા મળ્યું કે ધોળાવીરા સિંધુ સંસ્કૃતિનું કેન્દ્ર હતું. અહીં હોકાયંત્ર, તોલમાપનાં સાધનો, મનોરંજન પદ્ધતિઓ, સિક્કાઓ વગેરે અવશેષો મળી આવ્યાં છે.  ધોળાવીરા ભચાઉ તાલુકાના ખદિર બેટ મા આવેલ છે. 3. ભદ્રેશ્વર જૈનોનું પવિત્ર તીર્થધામ છે. જે પ્રાચિન સમયમાં " ભદ્રાવતી " તરીકે ઓળખાતું. શેઠ જગડૂશાએ જીર્ણોદ્વાર કરાવેલા પ્રસિધ્ધ જૈન દેરાસર પણ અહી આવેલા છે. 4. અંજાર ...