છેલ્લી પોસ્ટમા આપણે કચ્છ જિલ્લા વિશે જોઇ ગયા. આજે દેવભૂમિ દ્વારકા જિલ્લા વિશે જોઈશું.
તાલુકાઓ
1. ખંભાળીયા 2.ઓખમંડળ 3.ભાણવડ 4.કલ્યાણપુર
1.દ્વારકા
- ગોમતી નદીનાં કિનારે વસેલું તીર્થસ્થાન જે ભારતના ચાર પવિત્ર તીર્થસ્થાનોમાનું એક સ્થળ છે.
- ભારતની ચાર મહાન પીઠોમાંની એક " શારદાપીઠ" આદિ શંકરાચાર્ય દ્રારા સ્થાપિત છે. આ ઉપરાંત અહિ રૂકમણિજી નું મંદીર પણ આવેલ છે.
2.મિઠાપુર
- ટાટા કેમિકલ્સનુ સોડાએશ અને કોસ્ટીક સોડા બનાવવાનું કારખાનું આવેલ છે.
3. શંખૌદ્વાર બેટ
- દ્વારકા પાસે આવેલો બેટ જેનું નામ શંખોદ્વાર બેટ છે તે " બેટ દ્વારકા" તરીકે પણ ઓળખાય છે
- શંખોદ્વાર બેટમાં આવેલ વનવિસ્તાર " દારૂકાવન" ખાતે બાર જ્યોતિર્લિંગમાનું એક નાગેશ્વર જ્યોતિર્લિંગ આવેલ છે.
4. ઘૂમલિ
- અગિયારમી કે બારમી સદીમાં બંધાયેલું " નવલખા" મંદીર આવેલ છે.
5. અભયારણ્ય
- મરીન નેશનલ પાર્ક- ઓખા,
- મહાગંગા પક્ષી અભયારણ્ય, કલ્યાણપુર
યાદ રાખો
- હિન્દૂ ધર્મના ચાર મોટા યાત્રાધામોમાનું એક ધામ
- ખંભાળીયાનું " ઘી" વખણાય છે.
- ઘૂમલિમા નવલખા મંદીર આવેલ છે.
- શંકરાચાર્યે સ્થાપેલી શારદાપીઠ આવેલ છે.
આવતી પોસ્ટમા પોરબંદર અને જામનગર જીલ્લા વિશે જાણીશું.
ગુજરાતના બધા જીલ્લા વિશે જાણવા માટે ફોલો કરો.
Pandavdrarahul.blogspot.com
ગુજરાતના બધા જીલ્લા વિશે જાણવા માટે ફોલો કરો.
Pandavdrarahul.blogspot.com
Comments
Post a Comment