પોરબંદર જિલ્લો
તાલુકાઓ
1.પોરબંદર 2.રાણાવાવ 3. કુતિયાણા
1.પોરબંદર 2.રાણાવાવ 3. કુતિયાણા
1.પોરબંદર
- પોરબંદર જિલ્લાનું મુખ્ય મથક છે. અહીં મહાત્મા ગાંધીનું જન્મ સ્થાન છે. પોરબંદર " સુદામાપુરી" તરીકે ઓળખાય છે.
- ઉદ્યોગપતિ નાનજી કાલિદાસે બંધાવેલ કીર્તિમંદીર, ભારતમંદીર તથા નહેરુ પ્લેનેટોરીયમ(તારામંદીર) આવેલ છે.
- સમગ્ર ભારતમાંનું એકમાત્ર સુદામા મંદીર પોરબંદરમાં આવેલ છે. તથા સાંદિપની આશ્રમ આવેલ છે.
2. બરડો ડુંગર
- પોરબંદર જિલ્લામાં આવેલ બરડો ડુંગર તથા "ખંભાળા" અને "ફોદાળા" તળાવ અહિ આવેલ છે.
- અહિ "હિમાલયા સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ સફેદ સિમેન્ટનું કારખાનું આવેલ છે. તથા દર ભીમ અગિયરસએ અહિ મેળો ભરાય છે.
- રેતીમાં દટાયેલું સૂર્યમંદિર આવેલ છે. આ ઉપરાંત ચૈત્રી પૂનમએ અહિ મેળો ભરાય છે.
- બરડો ડુંગર અભયારણ્ય, રાણાવાવ
- ગાંધી મેમોરિયલ રેસિડેન્સિયલ મ્યુઝીયમ, પોરબંદર
યાદ રાખો
- પોરબંદર નું મોછા " બયૉવિલેજ ગામ" જાહેર કરવામાં આવ્યુ છે.
- દેના બેંકનાં સ્થાપક દેવકરણ નાનજી, ગોકુળદાસ મોરારજી અને સુમતિબહેન મોરારજી ગુલાબદાસ બ્રોકર(સાહિત્યકાર) પોરબંદરના વતનીઓ છે.
- પોરબંદરમાં સુદામા મંદીર આવેલ હોવાથી તેને સુદામા નગરી પણ કહે છે.
જામનગર જિલ્લો
તાલુકાઓ
1.જામનગર 2.ધ્રોલ 3.જામ જોધપુર 4. કાલાવડ 5.લાલપુર 6. જોડિયા
1.જામનગર 2.ધ્રોલ 3.જામ જોધપુર 4. કાલાવડ 5.લાલપુર 6. જોડિયા
1. જામનગર
- જામનગર શહેરમાં રણમલ તળાવની વચ્ચે "લાખોટા મહેલ" તથા વિભા પેલેસ, પ્રતાપવિલાસ પેલેસ જોવાલાયક છે.
- આયુર્વેદાચાર્ય ઝંડુ ભટ્ટજી દ્રારા ઝંડુ ફાર્મસીની સ્થાપના કરવામાં આવી હતી. ઉપરાંત 1967મા સ્થપાયેલી આયુર્વેદ યુનિવર્સીટી પણ જામનગરમાં આવેલ છે.
- જામનગરમાં બાલાછડી ખાતે ભૂમિદળની "સૈનિકશાળા", વાલસુરા ખાતે "નૌકાસેના" તાલીમ શાળા તથા બેડી ખાતે "હવાઈદળ" ની તાલીમ શાળા આવેલ છે. આમ સેનાની ત્રણેય પાંખોની શાળાઓ આવેલ છે.
- જામનગરની બાંધણી, કંકુ અને મેશ ખૂબ જ જાણીતા છે.
- જામનગરમાં સચાણા બંદર ખાતે જહાજ ભાગવાનો ઉદ્યોગ વિકસાવવામાં આવ્યો છે.
2. સિક્કા
- સિક્કા નજીક મોટી ખાવડી ખાતે ભારતની સૌથી મોટી રિલાયન્સ પેટ્રોલિયમ, રિફાઇનરી તથા તેલ સંશોધન પ્રયોગશાળા આવેલ છે.
3. અભયારણ્ય
- ખીજડીયા પક્ષી અભયારણ્ય, જોડિયા
4. યુનિવર્સિટી
- ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગર(1966)
5. રણમલ તળાવ, (લાખોટા)જામનગર
યાદ રાખો
- જામનગરની કંકુ, બાંધણી અને મેશ જાણીતી છે.
- "સૌરાષ્ટ્ર નું પેરિસ", " છોટેકાશી", " કાઠીયાવાડનું રત્ન" તરીકે જાણીતું.
આવતી પોસ્ટમાં જૂનાગઢ જિલ્લા વિશે જાણીશું. બાધા જિલ્લા ઓ વિશે જાણવા માટે ફોલો કરો.
Pandavdrarahul.blogspot.com
Comments
Post a Comment