જૂનાગઢ જિલ્લો
તાલુકાઓ
1. જૂનાગઢ 2. જૂનાગઢ સીટી 3. ભેંસાણ 4. કેશોદ 5. માળીયા હાટીના 6. માણાવદર 7. માંગરોળ 8. મેંદરડા 9. વંથલી 10. વિસાવદર
1. જૂનાગઢ
- જૂનાગઢ જિલ્લાનું મુખ્ય મથક છે. જૂનાગઢનું પ્રાચિન નામ રૈવત, કરણકુંજ, ગિરીનગર, જીર્ણ દુર્ગ, અને ચંદ્રકેતપુર હતું.
- જૂનાગઢમાં અશોકનો શિલાલેખ, રુદ્રદામાનો શિલાલેખ અને સ્કંદગુપ્તનો શિલાલેખ આવેલ છે.
- અશોકના શિલાલેખની શોધ કનૅલ ટોડ દ્રારા કરવામાં આવી હતી.
- અહિ ચંદ્રગુપ્ત મોર્ય નાં સૂબા પુષ્યગુપ્તએ સુદર્શન તળાવ બંધાવ્યું.
- નરસિંહ મહેતાની કર્મભૂમિ જૂનાગઢ હતી. અહી નરસિંહ મહેતાનો ચોરો આવેલ છે.
- હસ્તકલા ઉદ્યોગ માટે જાણીતી સંસ્થા " રૂપાયતન" અહી આવેલ છે. ઉપરાંત અડીકડી વાવ, ઉપરકોટનો કિલ્લો, સક્કરબાગ, નવઘણ કૂવો આવેલ છે.
2. ભવનાથ
- ગિરનારની તળેટીમાં સ્વર્ણરેખા નદીના કિનારે ભવનાથ મંદીર આવેલ છે. તથા અહી મહાશિવરાત્રિનાં દિવસે ભવનાથનો મેળો ભરાય છે.
3. ગિરનાર
- ગુજરાતના સૌથી ઊંચા પર્વત ગિરનારનું પ્રાચિન નામ રૈવતક હતું. અહી દામોદર કુંડ અને રેવતી કુંડ આવેલ છે.
- અહી નેમિનાથજી નું જૈન દેરાસર અને વસ્તુપાળ અને તેજપાળએ બંધાવેલ અન્ય દેરાસરો આવેલ છે.
- ગિરનાર પર દત્તાત્રેય ભગવાનનું મંદીર અને જમીયલશાહ દાતારની દરગાહ આવેલ છે.
4. ચોરવાડ
- અહી જૂનાગઢનાં નવાબનો મહેલ તથા સુંદર દરિયાકિનારો આવેલ હોવાથી પર્યટન સ્થળ છે.
- સ્વ. ધીરુભાઈ અંબાણીનું જન્મસ્થળ તથા મ્યુઝીયમ આવેલ છે.
5. સતાધાર
- સંત શ્રી આપાગીગાની સમાધિ અહી આવેલ છે.
6. મેળો
- ભવનાથનો મેળો, મહાશિવરાત્રીનાં દિવસે, ગિરનાર પર
- ઝુંડનો મેળો, ચોરવાડ
- નૃત્ય- ટિપ્પણી
7. યુનિવર્સિટીઓ
- જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, જૂનાગઢ(2004)
- ભારત સરસ્વતી મંદીર સંસદ ગ્રામ વિદ્યાપીઠ , શારદાગ્રામ
8.કુંડ/તળાવ
- દામોદર કુંડ, મૃગીકુંડ, કમંડલકુંડ, રેવતીકુંડ.
9. કુવા/ વાવ
- ઉપરકોટની વાવ(ગિરનાર), જૂનાગઢ
- અડીકડી વાવ, જૂનાગઢ
- નવઘણ કૂવો ,જૂનાગઢ
યાદ રાખો
- ગુજરાતમાં સૌથી વધું કુવા જૂનાગઢમાં આવેલ છે.
- જૂનાગઢ ને " વાડીઓનો જિલ્લો" કહેવામાં આવે છે.
- ગુજરાતમાં સૌથી વધું કુવા જૂનાગઢમાં આવેલ છે.
- જૂનાગઢ ને " વાડીઓનો જિલ્લો" કહેવામાં આવે છે.
આવતી પોસ્ટમાં રાજકોટ જિલ્લા વિશે જોઈશું.
ફોલો કરો.
Pandavdrarahul.blogspot.com
ફોલો કરો.
Pandavdrarahul.blogspot.com
Comments
Post a Comment